2023-05-13 10:49:38
"જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!" - સુરસિંહજી ગોહિલ (કલાપી)
"સુરતાની વાડીનો મીઠો મોરલો..." તરીકે જાણીતા લાઠીના રાજવી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી' અને 'મધુકર' ઉપનામથી પણ ગુજરાતી સાહિત્યકાર તરીકે અનોખી ઓળખ ધરાવે છે. માત્ર 26 વર્ષના ટૂંકા આયુષ્યમાં કવિ શ્રી કલાપીના નામે અનેક કાવ્ય સંગ્રહો છે જેમાંનો એક પ્રસિદ્ધ કાવ્ય સંગ્રહ એટલે "કલાપીનો કેકારવ" છે.
#GujaratInformation4024
1.7K views07:49