2022-06-13 04:00:10
* ગુજરાતી ભાષા સાહિત્યનું જાણવા જેવું... *
●અસાઈત ઠાકરના વંશજો - *તરગાળા નામે ઓળખાય છે.*
●વસંત કે વર્ષાઋતુનું વર્ણનવાળો કાવ્યપ્રકાર - *ફાગુ*
●'સ્યુગર કોટેડ ક્વિનાઈન પિલ્સ' તરીકે જાણીતું હાસ્ય - *પ્રેમાનંદનું*
●'ગુર્જર ભાષા' શબ્દ પ્રયોગ કરનાર - *ભાલણ*
●પ્રેમાનંદને ' A Prince of Pragiarists' કહ્યા - *કનૈયાલાલ મુનશી*
●'પંડિતોનો-બ્રાહ્મણોનો કવિ' પ્રેમાનંદને કોણે કહ્યું - *નવલરામ પંડ્યા*
●અનંતરાય રાવળે કોના કવિત્વને આગિયાના ઝબકારા સાથે સરખાવ્યું - *શામળ*
●'Most Gujarati of Gujarati Poets' કોના માટે ?- *પ્રેમાનંદ માટે*
●કડવાને બદલે મીઠાં સંજ્ઞા પ્રયોજનાર - *દયારામ*
●'રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી' , પ્રેમાનંદ માટે કોણે કહ્યું ?- *નવલરામ પંડ્યા*
●વેદાંતવાદી અને સમાજને ફટકો મારનાર કવિ - *અખો*
●મધ્યકાલીન સાહિત્યમાં 'જ્ઞાનનો ગરવો વડલો' - *અખો*
●અખાનું ખડખડા હાસ્ય આપણા સાહિત્યનું મહામૂલુ ધન - *ઉમાશંકર જોશી*
●દયારામનો ચર્ચાસ્પદ કિસ્સો - *રતન સોનારણ સાથે*
●"દયારામનું ભક્ત કવિઓમાં સ્થાન નથી, પ્રણયના અમર કવિઓમાં છે" વિધાન - *કનૈયાલાલ મુનશી*
●માંડણે પોતાના છપ્પાને શું કહ્યું ? - *વીશી*
●રત્નો ખરેખર સાચું રત્ન હતો - *ન્હાનાલાલ*
●હડૂલા કાવ્યપ્રકાર આપનાર - *દલપતરામ*
●નર્મદને તેના મિત્રો બોલાવતા તે નામ - *લાલજી*
●નર્મદે અપનાવેલો મુદ્રાલેખ - *પ્રેમશૌર્ય*
●નર્મદને 'આજીવન યોદ્ધા' કહેનાર - *વિશ્વનાથ ભટ્ટ*
●અંગ્રેજી પદ્ધતિના નિબંધો લખવાનો પ્રારંભ - *નવલરામથી*
●ગુજરાતીમાં સૌપ્રથમ પ્રતિકાવ્યોનો સફળ પ્રયોગ કરનાર - *કવિ ખબરદાર*
● 'વિવેચક તે કવિનો જોડિયો ભાઈ જ છે' વિધાન - *નરસિંહરાવ દિવેટિયા*
●ગોવર્ધનરામ દ્વારા ચંદા અને મેઘના કવિનું બિરુદ - *આનંદશંકર ધ્રુવને*
●ઝવેરચંદ મેઘાણીનો પ્રથમ કાવ્ય સંગ્રહ - *વેણીના ફૂલ*
●ગુજરાતી ભાષાને ગર્ભદશાનો કાળ કહ્યો - *ગોવર્ધનરામ ત્રિપાઠી*
●ગુજરાતી ભાષાને અંતિમ અપભ્રંશ કહી - *નરસિંહરાવ દિવેટિયા*
●સૌરાષ્ટ્રના ગિરનાર પર્વતનો વિસ્તૃત ઇતિહાસ આપનાર કવિ - *વિજયસેન સૂરિ*
●'સંદેશકરાસ' નામની કૃતિ લખનાર મુસ્લિમ કવિ - *અબ્દુર રહેમાન*
●ભાલણને પોતાનો ગુરુ ગણાવતો કવિ - *ભીમ*
●આખ્યાન લખનાર સૌરાષ્ટ્રનો સૌપ્રથમ કવિ - *સુરદાસ*
●'કલૌકા વ્યાસ'ના બિરુદથી ડભોઈ છોડનાર કવિ - *રતનેશ્વર*
●પ્રેમાનંદના અધૂરા રહેલા આખ્યાનને પુરા કરનાર કવિ - *સુંદર મેવાડો*
●વલ્લભ મેવાડાને 'પહેલી ટુકડીમાં મુકવા જોગ' કહેનાર સર્જક - *નર્મદ*
●'ત્યાગ ટકે રે ન વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી' પંક્તિના સર્જક - *નિષ્કુલાનંદ*
●ગરબીના કારણે 'ગુજરાતનો જયદેવ' તરીકે ઓળખાતા કવિ - *દયારામ*
●'મારી હકીકત' આત્મકથા પ્રગટ થયાનું વર્ષ - *1833*
●સૌથી નાની વયે દિલ્હી દરબારમાં વિશિષ્ટ સન્માન સાથે 'રાવ બહાદુર'નો ખિતાબ મેળવનાર - *નંદશંકર મહેતા*
●ગુજરાતી ભાષાનો સૌપ્રથમ વિવેચન ગ્રંથ - *નવલગ્રંથાવલિ*
●રોજનીશી દ્વારા ગુજરાતીમાં આત્મકથાનું કાચું સ્વરૂપ તૈયાર કરનાર સૌપ્રથમ સર્જક તથા શિષ્ટ ગુજરાતી ગદ્ય લેખનની શરૂઆત કરનાર સૌપ્રથમ સર્જક - *દુર્ગારામ મહેતાજી*
●'શાંતિદાસ' વાર્તાથી વિશેષ જાણીતા બનનાર સર્જક - *અંબાલાલ સાકરલાલ દેસાઈ*
●ગાયકવાડ સરકાર તરફથી 'સાહિત્યમાર્તડ' પુરસ્કાર મેળવનાર - *હરગોવિંદદાસ કાંટાવાળા*
●ગુજરાતી ભાષાનો પ્રથમ શુદ્ધ નમૂનો આપનાર સર્જક - *ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ*
●'છોટમવાણી' નામે રચના કરનાર કવિ - *કવિ છોટમ*
●ગોવર્ધનરામ ત્રિપાઠીના જન્મ દિવસની તિથિ - *વિજયાદશમી*
●ગોવર્ધનરામ ત્રિપાઠીએ પત્નીના અવસાનના કારણે લખેલ દીર્ઘકાવ્ય - *સ્નેહમુદ્રા*
103 views01:00