2022-05-16 19:25:48
*કનુ અને મનુ ની વાત ....*
(દરેક ગુજરાતી જરૂર વાંચે)
કનુ અને મનુ બંને દોસ્તો. બંને એક જ શાળામાં ભણે. બંને એક ના એક.
બંનેના પપ્પા એક જ ફેક્ટરીમાં કામ કરે. બંને નો પગાર સરખો.
*પણ વાર- તહેવારે કનુ પાસે નવા કપડાં નવા ચપ્પલ આવે. જયારે મનુ ને એના પપ્પા કાઈ ન અપાવે.*
શાળા માં પ્રવાસ હોય અને ફાળો ભરવાનો હોય તો કનુ તરત ભરી દે. મનુ ને તો એવા રૂપિયા મળે જ નહી ને!
આ જોઈને તેમના વર્ગ શિક્ષક ને ખૂબ નવાઈ લાગે. એટલે એકવાર તો શિક્ષકે મનુ ને પૂછી જ લીધું
"કેમ મનુ, તારા પપ્પા તને કેમ નવા કપડાં અપાવતા નથી? કેમ તારે રૂપિયા ની આટલી ખોટ રહે છે?"
સવાલ સાંભળી મનુ થોડો ઉદાસ થયો અને બોલ્યો : " સાહેબ, મારા પપ્પા નો પગાર તો કનુ ના પપ્પા જેટલો જ છે પણ મારા પપ્પા દારૂ ને જુગાર માં રૂપિયા ઉડાડી દે છે... એટલે મને ક્યાંથી કનુ ની જેમ રૂપિયા વાપરવા મળે?"
-- _આ કનુ મનુ એટલે જનતા અને એમના પપ્પા એટલે સરકારો!_
જે રાજ્ય ની સરકારો માં બેફામ ભ્રષ્ટાચાર છે તેવી રાજ્ય સરકારો ના રૂપિયા નેતાઓ અને બાબુઓ ઓહીંયા કરી જાય છે.
જે પ્રોજેક્ટ ૧૦૦ કરોડ નો હોય તે ૫૦૦ કરોડ માં પૂરો થાય છે. આમાં જનતા માટે રૂપિયા વધે ક્યાંથી? આવી રાજ્ય સરકારો દેવા માં જ હોય.
બીજી તરફ જો ભ્રષ્ટાચાર રોકવામાં આવે તો સરકાર પાસે ખૂબ રૂપિયા વધે અને આ રૂપિયા તે લોકો ના કલ્યાણ માટે વાપરી શકે.
*જુઓને, ગુજરાત સરકાર પર લગભગ 3 લાખ કરોડ નું દેવું છે અને દિલ્હી ની કેજરીવાલ સરકાર નું બજેટ નફા માં ચાલે છે!*
એટલે જ દિલ્હી ના નાગરિકો ને સરકાર ૨૦૦ યુનિટ વીજળી ફ્રી આપી શકે છે, ૨૦ હજાર લીટર પાણી ફ્રી આપી શકે છે, શ્રેષ્ઠ શિક્ષણ મફત આપી શકે છે, સરસ સરકારી હોસ્પિટલો માં બધી દવા, રિપોર્ટ અને ઓપેરશન મફત આપી શકે છે અને હા, બહેનો માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ ફ્રી આપી શકે છે !
_હવે ગુજરાત ની જનતા એ નક્કી કરવાનું છે કે તેમને કેવી સરકાર જોઈએ? ભ્રષ્ટાચાર માં બધું સ્વાહા કરીને નાગરિક સુવિધાઓ ન આપી શકતી કે ઈમાનદાર વહીવટ થી નાગરિકો ને સરસ અને મફત નાગરિક સુવિધાઓ આપતી ??_
758 views16:25