2022-05-18 04:46:11
જેઠાલાલ (વ્હોટ્સએપ વાંચતા) : આ કેજરીવાલ ની મફતખોરી થી તો દેશ ની હાલત શ્રીલંકા જેવી થઈ જશે !
ચંપકલાલ : શું બોલ્યો જેઠીયા?
જેઠાલાલ : બાપુજી, આ કેજરીવાલ બધાને બધું મફત માં આપશે તો દેશ ની તિજોરી બરબાદ જ થશે ને?
ચંપકલાલ : જેઠીયા, લબાડ, પોતાની અક્કલ વાપરી ને બોલે છે કે પછી વ્હોટ્સએપ માં આવ્યું એટલે બોલે છે?
જેઠાલાલ : આ જુઓ, બાપુજી, તમે પણ વાંચો. એમાં જ સમજાવ્યું છે.
ચંપકલાલ : જેઠીયા આટલો ઢગો થયો તોય બુદ્ધિ નો બારદાન રહ્યો. કાઈ ઢંગ નું વાંચ.
શ્રીલંકા ની હાલત નું કારણ ત્યાંનું રાજકારણ છે.
લોકો ને રાજી રાખવા ટેક્સ ઘટાડ્યા. રાતો રાત રાસાયણિક ખેતી પર પ્રતિબંધ મુક્યો. કોરોના માં ટુરિઝમ બરબાદ થયું. રાજનેતાઓ એ સમસ્યાઓ ના હલ ને બદલે બહુમતિ બૌદ્ધ પ્રજાને લઘુમતી થી ડરાવી, લડાવી અને નફરત નું રાજકારણ કર્યું.
જેઠાલાલ : એ તો ભલે એમ હશે પણ મફતખોરી થી તિજોરી તો ખાલી થાય જ ને?
ચંપકલાલ : કોઈ વગર વિચારે રૂપિયા વેડફે તો એમ થાય. ગુજરાત પર અત્યારે ૩ લાખ કરોડ જેટલું દેવું છે.
જેઠાલાલ : એમ? તો તો મફતખોરી વાળા દિલ્હી પર તો એનાથી બમણું દેવું હશે કેમ?
ચંપકલાલ : જેઠીયા, મોબાઈલ માંથી મોઢું બારે કાઢ. દેશ ના હિસાબનીશ સી એ જી નો રિપોર્ટ વાંચ !
જેઠાલાલ : શું લખ્યું છે એમાં?
ચંપકલાલ : એમાં લખ્યું છે કે દેશ માં દિલ્હી એકમાત્ર એવુ રાજ્ય છે જેનું બજેટ સર પ્લસ બોલે છે.
જેઠાલાલ : વીજળી, પાણી, શિક્ષણ, સ્વાસ્થ્ય સેવા મફત આપવા પછી પણ??
ચંપકલાલ : હા, એ પછી પણ..! એ ઉપરાંત કેજરીવાલ સરકાર મહિલાઓ ને મુસાફરી પણ મફત આપે છે..
જેઠાલાલ : એમ?? આ તે કેવો હિસાબ છે?
ચંપકલાલ : કોઈ નવાઈ ની વાત નથી. કેજરીવાલ સરકાર ભ્રષ્ટાચાર કરતી નથી એટલે સરકારી પ્રોજેક્ટસ માં અઢળક નાણા બચે છે. એ બચેલા રૂપિયા એ દિલ્હી ના લોકો ની સુવિધા માટે ખર્ચે છે.
જેઠાલાલ : આતો ગઝબ કહેવાય. પણ તો વ્હૉટ્સ એપ માં કેમ આવું આવતું હશે?
ચંપકલાલ : જેઠીયા, તુ સુધર હવે કાઈ! પાક્કો ગુજરાતી થા. વ્હોટ્સએપ મૂક બાજુ પર ને વિચાર.. ભ્રષ્ટાચાર બંધ કરીને જનતા ના રૂપિયા બચાવવાના હોય તો કોને નુકસાન જાય?
જેઠાલાલ : અલબત્ત પોતાના ખિસ્સા ભરતા નેતાઓ અને અધિકારીઓને !
ચંપકલાલ : હા, હવે સમજ્યો ! "આપ" ગુજરાત માં આવી જાય તો આ બધાની મઝા પૂરી થઈ જાય. એટલે જ મારા બેટા ગમે તેમ કરી કેજરીવાલ ને બદનામ કરે છે !
જેઠાલાલ : બાપુજી વાત તો તમારી સાચી લાગે છે.
ચંપકલાલ : અને હા, આ નેતા અને બાબુ લોકો પોતે કેટલું મફતનું ખાય છે એ તો કહેતા જ નથી !
એટલે જ કહુ છું.. પેટલાદ માં અમે સરદાર ને સાંભળેલા.. એ કહેતા .. કોઈના ચડાવે ચડશો નહી ને કાળજુ સિંહ નું રાખજો. સચ્ચાઈ નો સાથ આપજો !
1.0K views01:46