મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગૃહ રાજ્યમંત્રીશ્રી સાથે બેટ દ્વારકાની મુલાકાત લઈને તાજેતરમાં તંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં થયેલા ગેરકાયદે દબાણોના ડિમોલિશન સ્થળની મુલાકાત લીધી હતી તેમજ પોલીસ-રેવન્યૂ ખાતાની કાર્યવાહીની દરિયા કાંઠાની સુરક્ષા સંદર્ભે સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સ્થાપેલા સુરક્ષા-શાંતિ-સલામતીના મજબૂત પાયાને સુદ્રઢ રાખવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં દબાણ સહિતની કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સખ્તાઈથી કાર્યવાહી કરવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીએ તેમની ઓખાથી બેટ દ્વારકા સુધીની દરિયાઈ સફર દરમિયાન માનનીય વડાપ્રધાનશ્રીના ડ્રીમ પ્રોજેક્ટ સમા સિગ્નેચર બ્રિજના નિર્માણ કાર્યનું પણ નિરીક્ષણ કર્યું હતું તેમજ આ સિગ્નેચર બ્રિજની કામગીરી સત્વરે પૂર્ણ કરવા માટે તંત્રને માર્ગદર્શન તેમજ સૂચના આપી આપી હતી.
#GujaratInformation3529