મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે બેંગલુરુ ખાતે અન્ય આમંત્રિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાતી સમાજ અને ગુજરાત સરકારના બિનનિવાસી ગુજરાતી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત 'સદાકાળ ગુજરાત' કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું.
મુખ્યમંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના અમૃતકાળને 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ના મંત્રથી સૌ સાથે મળી અમૃતમય બનાવવાનું પ્રેરક આહવાન કરતાં જણાવ્યું કે, દેશ અને દુનિયામાં જ્યાં ક્યાંય પણ ગુજરાતી વસે છે, ત્યાં વિકાસમાં મદદગાર અને વિકાસના સંવાહક બન્યા છે.
#GujaratInformation3401