મહિલા કુસ્તીબાજોના આંદોલનમાં અલ્પ વિરામ, ખેલ મંત્રી સાથે બેઠક | Gujarati News Daily
મહિલા કુસ્તીબાજોના આંદોલનમાં અલ્પ વિરામ, ખેલ મંત્રી સાથે બેઠક પછી લીધો આ નિર્ણયછેલ્લા 138 દિવસોથી દેશના ટોચના પહેલાવાનોએરેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણીનો આરોપ મુકીને મોર્ચો ખોલેલો છે. એના અનુસંધાનમાં બુધવારે રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરના દિલ્હીના નિવાસ સ્થાને પહેલવાનોની 6 કલાક લાંબી બેઠક ચાલી હતી. બેઠકના અંતે બહાર આવેલા કુસ્તીબાજોએ કહ્યું હતું કે તેઓ 15 જૂન સુધી વિરોધ નહીં કરે, આ દરમિયાન પોલીસ સ્ટેટસ રિપોર્ટ રજૂ કરશે અને એ પછી આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.
સંપૂર્ણ લેખ વાંચો