Get Mystery Box with random crypto!

કવિ નર્મદે સુધારાનો પ્રયાસ કરતું કયું પત્ર (સામયિક) કાઢ્યું હત | 😊🇮🇳Mojilu maru gamdu 🇮🇳😊

કવિ નર્મદે સુધારાનો પ્રયાસ કરતું કયું પત્ર (સામયિક) કાઢ્યું હતું?

જવાબ : ડાંડિયો

ભારતમાં સૌથી મોટી મસ્જિદ (જુમ્મા મસ્જિદ) ક્યાં આવેલી છે?

જવાબ : દિલ્હીમાં

સિદ્ધપુરનો વિખ્યાત રુદ્રમહાલય કોણે બંધાવ્યો હતો?

જવાબ : મૂળરાજ સોલંકીએ

દોહિત્રી' કોને કહેવાય છે?

જવાબ : પુત્રીની પુત્રીને

હરિયાળી ક્રાંતિ' શબ્દ કયા ક્ષેત્રમાં ક્રાંતિ કે ઝડપી વિકાસ માટે પ્રયોજાય છે?

જવાબ : કૃષિ ઉત્પાદન

ચાંપા વાણિયાને કયા રાજાએ પોતાનો પ્રધાન બનાવ્યો હતો?

જવાબ : વનરાજે

દેશના દાદા' તરીકેનું માન કયા વયોવૃદ્ધ ગુજરાતીને મળ્યું હતું?

જવાબ : દાદાભાઈ નવરોજીને

B.B.C. એ સંક્ષેપાક્ષરો નીચેનામાંથી સૂચવે છે?

જવાબ : બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કૉર્પોરેશન

મુઝફ્ફર શાહ ગુજરાતનો સ્વતંત્ર સુલતાન કઈ સાલમાં બન્યો હતો?

જવાબ : ઈ. સ. 1407માં

મુળરાજ સોલંકી કયા ધર્મનો અનુયાયી હતો?

જવાબ : શૈવ ધર્મ

સિદ્ધ્રારાજ જયસિંહના મહાઅમાત્યનું નામ શું હતું?

જવાબ : મુંજાલ મહેતા

ભારત સરકાર દ્વારા કોઈ મહાનુભાવને તેમની જીવનભરની સેવા કે ઉત્તમ પ્રદાન માટે કયા સર્વોચ્ચ રાષ્ટ્રીય ઍવૉર્ડથી સન્માનવામાં આવે છે?

જવાબ : ભારતરત્ન

શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે?

જવાબ : 24 કેરેટનું

સહજાનંદ સ્વામીએ કયો સંપ્રદાય સ્થાપ્યો?

જવાબ : સ્વામીનારાયણ

'અણહિલપુર પાટણ' નામ જેના પરથી પડ્યું તે અણહિલ કોણ હતો?

જવાબ : વનરાજને મદદકર્તા ભરવાડ

નોબેલ પારિતોષિકો કેટલા વિષય માટે આપવામાં આવે છે?

જવાબ : છ

રાજીવ શબ્દ પર્યાય (સમાનાર્થી શબ્દ) નીચેનામાંથી કયો છે?

જવાબ : કમળ

ગુર્જરોની રાજધાનીનું નામ શું હતું?

જવાબ : ભિન્નમાળ

મુળરાજે શરૂ કરેલા સિદ્ધપુરના રુદ્રમહાલય (રુદ્રમાળ)નું બાંધકામ કોણે પૂરું કરાવ્યું હતું?

જવાબ : સિદ્ધરાજ જયસિંહે

માધવ મંત્રીએ દિલ્હીના કયા સુલતાનને ગુજરાત પર આક્રમણ કરવા આગ્રહ કર્યો?

જવાબ : અલાઉદ્દીન ખિલજીને

ગજરાતમાં પહેલી સુતરાઉ કાપડની મિલ કોણે શરૂ કરેલી?

જવાબ : શેઠ રણછોડદાસ છોટાલાલે

સોમનાથ મંદિર પર મહમદ ગીઝનીએ ક્યારે ચઢાઈ કરી હતી?

જવાબ : ઈ. સ. 1025માં

મીનળદેવીએ ધોળકાનું કયું તળાવ બંધાવ્યું હતું?

જવાબ : માલવ તળાવ

મધ્યકાળમાં કયા રાજાએ પોતાના રાજ્યમાં હિંસા બંધ કરવાનો કાયદો કર્યો હતો?

જવાબ : કુમારપાળે

ગુર્જર પ્રતિહારોની સ્વતંત્ર સત્તા ગુજરાતમાં કોણે સ્થાપી હતી?

જવાબ : નાગભટ્ટ પહેલા