Get Mystery Box with random crypto!

* ગુજરાતના ચિત્રકલાકારો * ગુજરાતના કલાગુરુ શ્ | 📚 GENERAL KNOWLEDGE 📚

* ગુજરાતના ચિત્રકલાકારો *


ગુજરાતના કલાગુરુ શ્રી રવિશંકર રાવળનો જન્મ ક્યાં થયો હતો
* ઈ.સ.1892માં ભાવનગરમાં*

ઈ.સ.1917માં બોમ્બે આર્ટ સોસાયટી દ્વારા યોજાયેલ કલા-પ્રદર્શનમાં રવિશંકર રાવળના કયા ચિત્રને સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો
* બિલ્વમંગલ*

રવિશંકર રાવળે 'ગુજરાત કલા સંઘ'ની સ્થાપના ક્યારે કરી હતી
* ઈ.સ.1935માં*

રવિશંકર રાવળે 'કુમાર' માસિકની શરૂઆત ક્યારે કરી હતી
* ઇ.સ.1924*

રવિશંકર રાવળે કઈ ગુફાચિત્રોનો અભ્યાસ કર્યો હતો
* અજંતા (ઇ.સ.1926માં)*

ગુજરાતના ખ્યાતનામ કલાકાર શ્રી સોમલાલ શાહનો જન્મ ક્યાં થયો હતો
* કપડવંજ*

શ્રી સોમભાઈએ સૌરાષ્ટ્રની કઈ લોકશાળામાં કલાશિક્ષક તરીકે વર્ષો સુધી સેવા આપી હતી
* ભાવનગરની દક્ષિણામૂર્તિ લોકશાળામાં*

શ્રી સોમાલાલ શાહે કોની પ્રેરણાથી ત્રણ સો પક્ષીચિત્રોનો સંપુટ તૈયાર કર્યો હતો
* ભાવનગરના મહારાજાના નાના ભાઈ ધર્મેન્દ્રસિંહની પ્રેરણાથી*

શ્રી સોમાલાલ શાહ કયા નામે ઓળખાય છે
* રંગોના રાજા*

ગુજરાતના પ્રગતિશીલ ચિત્રકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે
* શ્રી યગ્નેશ્વર શુક્લ*

શ્રી રસિકલાલ પરીખનો જન્મ ક્યાં થયો હતો
* વાલિયા (ભરૂચ જિલ્લો)*

રસિકલાલ પરીખના ચિતરસર્જનનો પસંદગીનો વિષય શુ હતો
* મા અને બાળક*

ગુજરાતના લોકજીવનનો ધબકાર કયા ચિત્ર કલાકારના ચિત્રોમાં જોવા મળે છે
* શ્રી રસિકલાલ પરીખ*

રસિકલાલ પરીખની કલાસિદ્ધિનું દર્શન કરાવતો તેમનો કયો ચિત્ર સંગ્રહ પુસ્તકાકારે પ્રગટ થયો છે
* કલાસાધના*

કાર્ટૂનિસ્ટ-ચિત્રકાર શ્રી બંસીલાલ વર્માનો જન્મ કયા ગામમાં થયો હતો
* ચોટીલા*

શ્રી બંસીલાલ વર્માના વ્યંગચિત્રો ચિત્રો જોઈને કોણે કહ્યું હતું કે "શબ્દ કરતાં ચિત્રોનો અવાજ દૂર સુધી પહોંચે છે."
* ગાંધીજીએ*

ઈ.સ.1942 થી 1945 દરમિયાન ભારત છોડો આંદોલનમાં કોને અંગ્રેજ સરકાર વિરુદ્ધ કટાક્ષચિત્રો બનાવી સરકારને હચમચાવી મૂકી
* શ્રી બંસીલાલ વર્મા*

જન્મભૂમિ રજતજયંતિ પ્રસંગે બંસીલાલ વર્માએ શ્રી રાજાજીનું દોરેલું કેરીકેચર (ઠઠ્ઠાચિત્ર-હાસ્યજનક) જોઈને કોને કહ્યું હતું કે તેમણે જોયેલા સર્વોત્તમ કાર્ટુનોમાનું તે એક હતું
* જવાહરલાલ નહેરુ*

ઇ.સ.1997માં આઝાદીના સુવર્ણજયંતી વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બંસીલાલ વર્માને કયા એવોર્ડથી સન્માનિત કર્યા હતા
* 'નગરભૂષણ'*

બંસીલાલ વર્માએ 'વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશન'ની સ્થાપના ક્યારે કરી હતી
* ઇ.સ.1994*

ચિત્રકાર શ્રી જશુભાઈ નાયકનો જન્મ કયા ગામમાં થયો હતો
* મોહનપુર ગામમાં (વલસાડ)*

ઇ.સ.1978માં 'રૂપદા' દક્ષિણ ગુજરાત કલાવૃંદ તથા ઇ.સ.2006માં 'ગુજરાત કલા પ્રતિષ્ઠન' ની સ્થાપના કોણે કરી હતી
* શ્રી જશુભાઈ નાયક*

શ્રી જશુભાઈ નાયક કયા નામે જાણીતા બન્યા છે
* પોટ્રેટના રાજા*

શ્રી ખોડીદાસ પરમારનો જન્મ ક્યાં થયો હતો
* ભાવનગર*

'ધરતીના ચિત્રકાર' કે 'લોકકલાના ઉપાસક' તરીકે કયા ચિત્રકાર જાણીતા છે
* ખોડીદાસ પરમાર ('ધરતીનો ચિત્રકાર' પુસ્તક આપ્યું છે)*

"કલાનો જીવન સાથે ભીતરનો સંબંધ છે." એવું કયા ચિત્રકારે કહ્યું છે
* શ્રી નટુભાઈ પરીખ*

"શ્રી ખોડીદાસભાઈએ સૌરાષ્ટ્રની લોકકલાનું તેજ પારખ્યું છે." એવું કોણે કહ્યું છે
* શ્રી રવિશંકર રાવળ*

શ્રી નટુભાઈ પરીખનો જન્મ કયાં થયો હતો
* બાંધણી ગામ (જી.ખેડા)*

ગુજરાતના કલાજગતમાં 'સુદામા' તરીકે કોણ ઓળખાય છે
* શ્રી કનૈયાલાલ યાદવ*

શ્રી કનૈયાલાલ યાદવનો જન્મ કયા ગામમાં થયો હતો
* રતલામ*

શ્રી બંસીલાલ વર્માનું ઉપનામ
* 'ચકોર'*

શેર કરવાનું ના ભૂલતા મિત્રો.....

*Plz Don't copy if you can't paste as it is*

☞Join @general_knowledge_gpsc123