ગુજરાતના કલાગુરુ શ્રી રવિશંકર રાવળનો જન્મ ક્યાં થયો હતો * ઈ.સ.1892માં ભાવનગરમાં*
ઈ.સ.1917માં બોમ્બે આર્ટ સોસાયટી દ્વારા યોજાયેલ કલા-પ્રદર્શનમાં રવિશંકર રાવળના કયા ચિત્રને સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો * બિલ્વમંગલ*
રવિશંકર રાવળે 'ગુજરાત કલા સંઘ'ની સ્થાપના ક્યારે કરી હતી * ઈ.સ.1935માં*
રવિશંકર રાવળે 'કુમાર' માસિકની શરૂઆત ક્યારે કરી હતી * ઇ.સ.1924*
રવિશંકર રાવળે કઈ ગુફાચિત્રોનો અભ્યાસ કર્યો હતો * અજંતા (ઇ.સ.1926માં)*
ગુજરાતના ખ્યાતનામ કલાકાર શ્રી સોમલાલ શાહનો જન્મ ક્યાં થયો હતો * કપડવંજ*
શ્રી સોમભાઈએ સૌરાષ્ટ્રની કઈ લોકશાળામાં કલાશિક્ષક તરીકે વર્ષો સુધી સેવા આપી હતી * ભાવનગરની દક્ષિણામૂર્તિ લોકશાળામાં*
શ્રી સોમાલાલ શાહે કોની પ્રેરણાથી ત્રણ સો પક્ષીચિત્રોનો સંપુટ તૈયાર કર્યો હતો * ભાવનગરના મહારાજાના નાના ભાઈ ધર્મેન્દ્રસિંહની પ્રેરણાથી*
શ્રી સોમાલાલ શાહ કયા નામે ઓળખાય છે * રંગોના રાજા*
ગુજરાતના પ્રગતિશીલ ચિત્રકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે * શ્રી યગ્નેશ્વર શુક્લ*
શ્રી રસિકલાલ પરીખનો જન્મ ક્યાં થયો હતો * વાલિયા (ભરૂચ જિલ્લો)*
રસિકલાલ પરીખના ચિતરસર્જનનો પસંદગીનો વિષય શુ હતો * મા અને બાળક*
ગુજરાતના લોકજીવનનો ધબકાર કયા ચિત્ર કલાકારના ચિત્રોમાં જોવા મળે છે * શ્રી રસિકલાલ પરીખ*
રસિકલાલ પરીખની કલાસિદ્ધિનું દર્શન કરાવતો તેમનો કયો ચિત્ર સંગ્રહ પુસ્તકાકારે પ્રગટ થયો છે * કલાસાધના*
કાર્ટૂનિસ્ટ-ચિત્રકાર શ્રી બંસીલાલ વર્માનો જન્મ કયા ગામમાં થયો હતો * ચોટીલા*
શ્રી બંસીલાલ વર્માના વ્યંગચિત્રો ચિત્રો જોઈને કોણે કહ્યું હતું કે "શબ્દ કરતાં ચિત્રોનો અવાજ દૂર સુધી પહોંચે છે." * ગાંધીજીએ*
ઈ.સ.1942 થી 1945 દરમિયાન ભારત છોડો આંદોલનમાં કોને અંગ્રેજ સરકાર વિરુદ્ધ કટાક્ષચિત્રો બનાવી સરકારને હચમચાવી મૂકી * શ્રી બંસીલાલ વર્મા*
જન્મભૂમિ રજતજયંતિ પ્રસંગે બંસીલાલ વર્માએ શ્રી રાજાજીનું દોરેલું કેરીકેચર (ઠઠ્ઠાચિત્ર-હાસ્યજનક) જોઈને કોને કહ્યું હતું કે તેમણે જોયેલા સર્વોત્તમ કાર્ટુનોમાનું તે એક હતું * જવાહરલાલ નહેરુ*
ઇ.સ.1997માં આઝાદીના સુવર્ણજયંતી વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બંસીલાલ વર્માને કયા એવોર્ડથી સન્માનિત કર્યા હતા * 'નગરભૂષણ'*
બંસીલાલ વર્માએ 'વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશન'ની સ્થાપના ક્યારે કરી હતી * ઇ.સ.1994*
ચિત્રકાર શ્રી જશુભાઈ નાયકનો જન્મ કયા ગામમાં થયો હતો * મોહનપુર ગામમાં (વલસાડ)*
ઇ.સ.1978માં 'રૂપદા' દક્ષિણ ગુજરાત કલાવૃંદ તથા ઇ.સ.2006માં 'ગુજરાત કલા પ્રતિષ્ઠન' ની સ્થાપના કોણે કરી હતી * શ્રી જશુભાઈ નાયક*
શ્રી જશુભાઈ નાયક કયા નામે જાણીતા બન્યા છે * પોટ્રેટના રાજા*
શ્રી ખોડીદાસ પરમારનો જન્મ ક્યાં થયો હતો * ભાવનગર*
'ધરતીના ચિત્રકાર' કે 'લોકકલાના ઉપાસક' તરીકે કયા ચિત્રકાર જાણીતા છે * ખોડીદાસ પરમાર ('ધરતીનો ચિત્રકાર' પુસ્તક આપ્યું છે)*
"કલાનો જીવન સાથે ભીતરનો સંબંધ છે." એવું કયા ચિત્રકારે કહ્યું છે * શ્રી નટુભાઈ પરીખ*
"શ્રી ખોડીદાસભાઈએ સૌરાષ્ટ્રની લોકકલાનું તેજ પારખ્યું છે." એવું કોણે કહ્યું છે * શ્રી રવિશંકર રાવળ*
શ્રી નટુભાઈ પરીખનો જન્મ કયાં થયો હતો * બાંધણી ગામ (જી.ખેડા)*
ગુજરાતના કલાજગતમાં 'સુદામા' તરીકે કોણ ઓળખાય છે * શ્રી કનૈયાલાલ યાદવ*
શ્રી કનૈયાલાલ યાદવનો જન્મ કયા ગામમાં થયો હતો * રતલામ*