મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રજાજનોની રજૂઆતો-ફરિયાદોના ટ | Gujarat Information
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રજાજનોની રજૂઆતો-ફરિયાદોના ટેકનોલોજીના માધ્યમથી ઉકેલ માટેની 'સ્વાગત' પહેલ અંતર્ગત આજે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહીને અરજદારોના પ્રશ્નો-સમસ્યાઓ સાંભળ્યા હતા અને ઓનલાઇન જોડાયેલા જિલ્લા તંત્રવાહકોને તેના ત્વરિત સમાધાન માટે દિશાનિર્દેશ આપ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં થયેલી નુકસાનીનો પ્રાથમિક સર્વે ઝડપભેર પૂર્ણ કરવા તેમજ ચોમાસામાં વરસાદની સ્થિતી પૂર્વેના આગોતરા આયોજન અંગે પણ જિલ્લા કલેક્ટરશ્રીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
આજના 'સ્વાગત' કાર્યક્રમમાં ગુજરાતને ફાળવાયેલા પ્રોબ્રેશનરી IAS અધિકારીઓએ હાજર રહીને મુખ્યમંત્રીશ્રી દ્વારા પોઝિટિવ એપ્રોચથી ઉકેલાતી જનસમસ્યાઓનો પ્રત્યક્ષ અનુભવ લઈને પ્રેરિત થયા હતા.
#GujaratInformation5591