માઁ નર્મદાની પંચકોશી પરિક્રમા માટે વહીવટીતંત્ર ખડેપગે...
સમગ્ર ભારતવર્ષમાં નર્મદા એક માત્ર એવી નદી છે જેની પરિક્રમા કરવામાં આવે છે. ચૈત્ર મહિનામાં કરવામાં આવતી પંચકોશી પરિક્રમા માટે અહીં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે, ત્યારે પરિક્રમામાં શ્રદ્ધાળુઓને તકલીફ ન પડે તે માટે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 25 જેટલી બોટની ખાસ સુવિધા કરવામાં આવી છે તેમજ પોલીસ વિભાગ અને જિલ્લા આરોગ્ય વિભાગની ટીમો રાઉન્ડ-ધ-ક્લોક ફરજ બજાવી રહી છે… #GujaratInformation3533